[ad_1]
હાઈલાઈટ્સ:
- CBSE દ્વારા અભ્યાસક્રમમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી હતી.
- કોંગ્રેસે મુખ્યમંત્રીને પત્ર લખીને અભ્યાસક્રમ બાબતે રજૂઆત કરી.
- કોરોનાને કારણે સૌથી વિપરિત અસર શિક્ષણક્રિયાને થઈ છે.
ઉલ્લેખનીય છે કે વિભાગની આ અનિર્ણાયકતાને કારણે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાને હવે ચાર મહિના જેટલો સમય બાકી છે તેવામાં શિક્ષણ વિભાગ અને બોર્ડ દ્વારા નક્કર નિર્ણય લેવામાં ન આવતો હોવાને કારણે વિદ્યાર્થીઓની કારકિર્દી પણ જોખમમાં મૂકાઈ છે. કોંગ્રેસ દ્વારા પણ માંગ કરવામાં આવી છે કે શિક્ષણકાર્યના કલાકો અને દિવસોની ગણતરીને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમમાં ઘટાડા બાબતે વહેલી તકે નિર્ણય લેવો જોઈએ.
કોંગ્રેસ પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનિષ દોશીએ મુખ્યમંત્રીને આ બાબતે પત્ર લખીને અપીલ કરી છે. તેમણે લખ્યું છે કે, કોરોના મહામારીમાં સૌથી વધારે અસર શિક્ષણને થઈ છે. 15 મહિના કરતા વધારે સમય સુધી શૈક્ષણિક સંસ્થાનો બંધ રહ્યા હોવાને કારણે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ લેવાની ફરજ પડી હતી. ઓનલાઈન શિક્ષણનો લાભ તમામ વિદ્યાર્થીઓ નથી લઈ શક્યા. ઉલ્લેખનયી છે કે ઓનલાઈન શિક્ષણની સરખામણીમાં ક્લાસરુમનું શિક્ષણ વધારે અસરકારક હોય છે.
નોંધનીય છે કે ગુજરાતની શાળાઓમાં લગભગ 200 દિવસ વર્કિંગ ડે હોય છે. વર્ષ 2020-21ની વાત કરીએ તો 140-150 દિવસનું ઓનલાઈન શિક્ષણ થયુ હતું. જેમાં 50 ટકાથી વધારે વિદ્યાર્થીઓ જોડાઈ નહોતા શક્યા. ગ્રામ્ય વિસ્તારમાં તો શિક્ષણની સ્થિતિ વધારે ગંભીર છે. કોંગ્રેસ તરફથી માંગ કરવામાં આવી છે કે પ્રત્યેક વિષયના અભ્યાસક્રમને શૈક્ષણિક દિવસોની સરખામણીમાં જોવામાં આવે તો કુલ અભ્યાસક્રમના 30થી 40 ટકા ઘટાડો કરવો જરુરી છે. આ સિવાય તેમણે અપીલ કરી છે કે ધોરણ નવથી ધોરણ બારમાં પણ ગંભીરતાથી અભ્યાસક્રમ બાબતે નિર્ણય લેવો જોઈએ.
[ad_2]
Source link
Leave a Reply