કેવી રસી ને કેવું સર્ટિફિકેટ? AMCના નિયમો માત્ર કાગળ પર, બિન્ધાસ્ત ફરી રહ્યા છે લોકો – no proper implementation of no vaccine no entry rule imposed by amc

[ad_1]

હાઈલાઈટ્સ:

  • દેશભરમાં ધીરે ધીરે ઓમિક્રોન વેરિયન્ટના કેસ વધી રહ્યા છે.
  • AMC ધ્વારા રસી નહીં તો પ્રવેશ નહીં નિયમ લાગુ કરાયો હતો.
  • મોટા ભાગની જગ્યાઓએ રસી વિના પણ મળી રહ્યો છે પ્રવેશ.

અમદાવાદ- કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ પછી હવે ઓમિક્રોન વેરિયન્ટ આવ્યો છે અને દેશભરમાં તેના કેસ પણ વધી રહ્યા છે. આ સિવાય શાળાઓમાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હોવાના સમાચાર પણ સામે આ રહ્યા છે. નિષ્ણાંતો દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. દેશની રાજધાની દિલ્હીમાં નિયંત્રણો વધારી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ રાત્રિ કર્ફ્યુ યથાવત છે. મહત્તમ લોકો કોરોનાની રસી લઈ લે તે જરૂરી છે. લોકોમાં રસી બાબતે જાગૃતિ લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે શહેરના અમુક જાહેર સ્થળોએ જો રસી લીધી હશે તો જ પ્રવેશ આપવામાં આવશે. તંત્રના આ નિર્ણયના વખાણ પણ થયા હતા, પરંતુ સમયની સાથે આ નિર્ણયો કાગળ પર જ રહી ગયા હોય તેમ લાગી રહ્યું છે.

અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની ટીમ દ્વારા ઉસમાનપુરા રિવરફ્રન્ટ પાર્ક, ફ્લાવર ગાર્ડન અને લો ગાર્ડનની બુધવારના રોજ મુલાકાત લેવામાં આવી. આ તમામ સ્થળો માટે જાહેરાત કરવામાં આવી હતી કે અહીં રસીનું સર્ટિફિકેટ બતાવ્યા પછી જ પ્રવેશ આપવામાં આવશે. પરંતુ ચોંકાવનારી અને ચિંતાજનક બાબત એ છે કે અહીં પ્રવેશ વખતે કોઈ જ સર્ટિફિકેટ માંગવામાં નથી આવતું. લોકો બિન્ધાસ્ત પ્રવેશ મેળવી રહ્યા હતા.

ડિસેમ્બરમાં ગુજરાતમાં 100થી વધુ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, માત્ર ઓનલાઈન શિક્ષણ આપવું જોઈએ?
આટલુ જ નહીં, બાગ-બગીચાઓની સાથે સાથે એએમટીએસ અને બીઆરટીએસ માટે પણ નો વેક્સિન નો એન્ટ્રી નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. પરંતુ અહીં પણ કોઈ જ રોકટોક વિના લોકો મુસાફરી કરતા જોવા મળ્યા. જો કે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની ટીમ વસ્ત્રાપુરના એક મોલમાં ગઈ તો ત્યાં દરવાજા પાસે લાંબી કતાર જોવા મળી, જ્યાં સિક્યોરિટી ગાર્ડ લોકોના વેક્સિન સર્ટિફિકેટ ચેક કરી રહ્યા હતા.

દિલ્હીમાં કોરોના વિસ્ફોટ, 24 કલાકમાં ડબલ થઈને નવા 923 કેસ નોંધાયા
નોંધનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં એએમસી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે જેમણે રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો હશે તેમના માટે જ વિવિધ મ્યુનિસિપલ સેવાઓ ઉપલબ્ધ હશે. જાહેર બગીચાઓ, સ્વિમિંગ પુલ વગેરે સ્થળોએ પ્રવેશ મેળવવા માટે રસીનું સર્ટિફિકેટ બતાવવું જરુરી રહેશે. એએમટીએસ અને બીઆરટીએસ બસોમાં પણ મુસાફરી કરવા માટે રસી ફરજિયાત હતી.

[ad_2]

Source link