ઈજાગ્રસ્તોને ત્વરિત સારવાર માટે એલ.જી.-શારદાબેન હોસ્પિટલની સેવાઓને પુરસ્કૃત કરવામાં આવી

[ad_1]

     

  અમદાવાદ,રવિવાર,21 નવેમ્બર,2021

અમદાવાદ શહેરમાં વિવિધ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થતા
લોકોને ત્વરિત સારવાર આપવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી. તેમજ
શારદાબેન હોસ્પિટલને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પ્રશસ્તિપત્ર આપી પુરસ્કૃત કરવામાં
આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ, અમદાવાદ જિલ્લા અને શહેર પોલીસ દ્વારા અમદાવાદ શહેર તેમજ
આસપાસના વિસ્તારોમાંથી અકસ્માતનો ભોગ બનનારા લોકોને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની
હોસ્પિટલોમાં ત્વરિત સારવાર માટે લાવવામાં આવતા હોય છે.સરેરાશ આ પ્રકારના રોજ
વીસથી બાવીસ બનાવ બનતા હોય છે.

મ્યુનિ.હસ્તકની હોસ્પિટલોમાં સર્જરી ઉપરાંત મેડિસીન, ઓર્થોપેડીક, ઈ એન્ડ ટી સહિતના
વિભાગોમાં ફરજ બજાવતા મેડિકલ અને પેરામેડીકલ સ્ટાફ દ્વારા ઈજાગ્રસ્તોને આપવામાં
આવતી ત્વરિત સારવારના કારણે આ પ્રકારના દર્દીઓને કાયમી ખોડ-ખાંપણથી બચાવી શકાય
છે.મ્યુનિ.હોસ્પિટલની આ સેવાને પોલીસ વિભાગ દ્વારા સન્માનિત કરવામાં આવી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *